Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઘંટેશ્વરમાં એસઆરપીમેન હીરાભાઇ બાબરીયાનું બેભાન હાલતમાં મોત

બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: મૈયા દરબાર પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૩: ઘંટેશ્વર એસઆરપી કેમ્પ કવાર્ટર નં. ૪૮૧ બી-૪૧માં રહેતાં અને એસઆરપી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હીરાભાઇ ભાણાભાઇ બાબરીયા (મૈયા દરબાર) (ઉ.૪૭) રાત્રે સાડા બારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના મોટા ભાઇ પણ એસઆરપીમેન તરીકે ફરજ બજાવે છે. બનાવથી તહેવારની ખુશી શોકમાં પરિણમી હતી.

(1:39 pm IST)