Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજ બેંકના સત્યપ્રકાશ ખોખરાના સાળા અમરનાથ યાત્રામાં રાજકોટના વિજય રાઠોડનું કરૂણ મૃત્યુ

અમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટના વિજયભાઈ નટવરલાલ રાઠોડનું દુઃખદ અવસાન થયુ છે : તેઓ રાજકોટની રાજ બેંકના સીઈઓ શ્રી સત્યપ્રકાશ ખોખરાના સાળા થાય છે : અમરનાથ ગુફામાં તેમને છાતીમાં દુઃખાવાની ફરીયાદ સાથે શ્વાસ લેવાની તકલીફ સર્જાઈ હતી : તેમને તરત જ ત્યાંની આર્મીના મેડીકલ કેમ્પમાં ખસેડવામાં આવેલ, ત્યાં પ્રાથમિક સારવાર આપી હેલીકોપ્ટરમાં શ્રીનગર લઈ જવામાં આવેલ : ત્યાં શેર-એ-કશ્મીર ઈન્સ્ટીટ્યુટ ઓફ કાશ્મીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યાં આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા : તેમને રાજકોટ લાવવા માટે શ્રીનગરની સુપ્રસિદ્ધ લતીફ હોટેલના લતીફચાચા તમામ મદદ અને વ્યવસ્થા કરી આપેલ

(11:28 pm IST)