Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પૂ. જગદીશમુનિની પુણ્યતિથિ નિમિતે ત્રણ જલમંદિર અર્પણ

અનેક જલમંદિર અર્પણ કરી અનેકોની તૃષા છિપાવવાનો અનોખો જલયજ્ઞઃ પૂ. પારસમુનિ

રાજકોટઃ તા.૨૩, ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્યા  સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ની પાવનપ્રેરણાથી પૂ. ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ની ૩૧મી માસિક પુણ્યતિથિ નિમિતે દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય - ગોંડલ પૂ. તપસ્વી માણેકચંદજી મહારાજ સાહેબ સમાધિ સ્થાન-જેતપુર ગોંડલ રોડ સ્થા. જૈન સંઘ રાજકોટમાં શીતલજલ માટે વોટરકુલર અ.સૌ. રેખાબેન પ્રદીપભાઇ મહેતા હસ્તે દિવ્યાબેન અમિતભાઇ મહેતા પરિવાર કાંદીવલી વેસ્ટ તરફથી મુકવામાં આવતા અનેક સાધકોને લાભ પ્રાપ્ત થશે.

પૂ. પારસમુનિ મ. સાહેબે જણાવેલ કે પૂ. ગુરૂદેવ જગદીશમુનિ મ.સા.ની ૩૧મી પૂણ્યતિથિ નિમિતે અનેક લોકોને આ ગરમીમાં તૃષા શાંત કરવા અને હૃદયમાં ટાઢક પહોંચે, શાંતિનો અહેસાસ થાય, તેવા શુભભાવથી રેખાબેન પ્રદીપભાઇ મહેતા પરિવારે લાભ લીધેલ છે. અને શૂધ્ધ પાણી વાપરી  તૃષા શાંતિ કરી અને અનેક લોકોના આશિષ પ્રાપ્ત થશે. ભગવાને પણ નવ પ્રકારના પુણ્યબંધમાં એક પાણ પુન્ને-પાણી પાવુ તે પુણ્યબંધનું કારણ કહ્યું છે.

(3:46 pm IST)