Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જૂનાગઢની પ્રજા - કાર્યકરોનો વિજય

પ્રજાએ વિજયભાઈ અને જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ, વિકાસને સ્વીકાર્યોઃ કોંગ્રેસ મુકત ભારતની જૂનાગઢની શરૂઆતઃ નીતિન ભારદ્વાજ

રાજકોટ, તા. ૨૩ : આજે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. આ ભવ્ય વિજય જૂનાગઢની પ્રજા અને પક્ષના કાર્યકરોનો થયાનું પ્રદેશ ભાજપના અગ્રણી અને જૂનાગઢ ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ શ્રી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યુ હતું.

જૂનાગઢ ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને શ્રી ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્યુ હતું કે પ્રજાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વના વિકાસને સ્વીકાર્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહ ઉપર પ્રજાએ મૂકેલો વિશ્વાસ ફરી સાબિત થયો છે.

શ્રી ભારદ્વાજે જણાવેલ કે દેશ કોંગ્રેસ મુકત થઈ રહ્યો છે જેની શરૂઆત જૂનાગઢથી થઈ છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું સપનું એવું કોંગ્રેસમુકત ભારત અભિયાનની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનું નામોનિશાન મિટાવી દેશે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં નીતિનભાઈ ભારદ્વાજના નેતૃત્વમાં કાર્યકરોએ તનતોડ મહેનત કરી હતી. રાજકોટ શહેર ભાજપના કાર્યકરો પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજને સૌરાષ્ટ્રભરમાંથી મો.૯૮૨૪૦ ૪૩૦૪૩ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:32 pm IST)