Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઘાટકોપરમાં દાનવીર કીર્તિભાઇ કોઠારીનું અભિવાદન

રાજકોટઃ શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં સંઘના ટ્રસ્ટી અને યુવા દાનવીર કિર્તિભાઇ જયંતિલાલ કોઠારી જેતપુર, રાજકોટ બાદ વર્ષોથી ઘાટકોપર વસે છે. પંતનગરમાં માતુશ્રી ગુલાબબેન જયંતિલાલ કોઠારી-જૈન ઉપાશ્રયના મુખ્ય નામકરણનો લાભ લીધેલ છે. હિંગવાલા મોટા ઉપાશ્રયમાં અનેક યોજનાઓમાં દાન અર્પણ કરેલ છે. જીવન જાગરણ શિબિરના લાભાર્થી બનનાર કિર્તિભાઇ અને શ્રીમતી રીટાબેન કોઠારીનું અભિવાદન કરી કોઠારી પરિવારની ભાવનાને બિરદાવવામાં આવેલ.

(1:20 pm IST)