Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સંતને સાંભળીને જેને સ્વને સાંભળવાનું મન થાય તે સાધકઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત શ્રીમુખેથી શ્રી રોયલપાર્ક સ્થા.જૈન સંઘમાં પ્રવચન અને વાંચણીનો શુભારંભ : ગુરૂ- શુક્ર છઠ્ઠ તપ આરાધનાઃ રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ,તા.૨૩: શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘ-સી. એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયનાં આંગણે ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે સમૂહ ચાતુર્માસ ઉપલક્ષે પધારેલ ૭૫ સંત-સતીજીઓનાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ બાદ આજ રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીનાં શ્રીમુખેથી સવારથી ૭:૧૫ થી ૮:૧૫ પ્રવચન અને ૧૦:૧૫ થી ૧૧ વાંચણીની શ્રૃંખલાની શરૂઆત થતા રાયલપાર્કનાં અનેક ભાવિકોએ આત્મહિતકારી વાણીનો લાભ લીધો હતો.

ચાતુર્માસના પ્રથમ દિવસનાં વ્યાખ્યાનની શરૂઆત કરતાં પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી શબ્દો સર્યા કે આજનું દ્રશ્ય ભવિષ્યનાં દ્રશ્યનંુ પ્રતિબિંબ છે. આજનું બીજ કાલનું વૃક્ષ બનશે. આ પ્રવચન નહીં પર ંતુ સમવશરણમાં જવાના બીજ વાવવા આવ્યા છો. આજનું સદગુરુનું સાંનિધ્ય ભવિષ્યનંુ સમવશરણ અપાવે. જેને પ્રભુનું શરણ ન મળવાનો અફસોસ હોય એ જ કાલે પ્રભુના શરણને પામી શકે છે. માટે પરમાત્માને પ્રાર્થના છે કે આજે ભલે મારા નસીબમાં તમારૃં સમવસરણ નથી પર ંતુ કાલે તમારૃં સમવસરણ મળે એનો પ્રયત્ન હું આજથી શરૂ કરૃં છું. માટે હે પ્રભુ, મારી મુમુક્ષુતા પ્રગટાવો.

જીવન સુધરે તે આ ચાતુર્માસનાં પગથિયા છે પરંતુ જીવ સુધરી જાય, તે આ ચાતુર્માસની મંઝીલ છે. જીવન સુધારનારા અનેક ધર્મ હોય પરંતુ જીવ સુધારનાર આંતરિક શુદ્ઘિ કરાવનારો ધર્મ મહાન છે. ડોકટર કે એન્જીનીયર બનનારા વર્ષોથી પ્લાનીંગ કરે તેમ સિદ્ઘ બનવા માટેનું  પ્લાનીંગ આ ચાતુર્માસમાં કરવું છે. ચાતુર્માસમાં સંતોને સાંભળે તો મોક્ષ થાય કે ન થાય પણ જો વ્યકિત સ્વને સાંભળતી થઈ જાય તો મોક્ષ થશે જ. પોતાનો અવાજ સાંભળનાર જગતથી પર થયાં વગર રહેતો નથી એમ સમજાવી રાષ્ટ્રસંત પૂજયશ્રીએ આ ચાતુર્માસમા ં ઈનર વોઈસ સાંભળવાનું લક્ષ આપ્યુ ં હતું.  પ્રવચન દરમ્યાન રાષ્ટ્રસંત પૂજયશ્રીએ પથ્થર અને શિલ્પીનાં ઉદાહરણથી સમજાવ્યંુ હતું  કે પથ્થરની અંદર પ્રતિમા સમાએલી જ હોય છે. પથ્થર જયારે શિલ્પીના હાથમાં સોપાય છે ત્યારે શિલ્પી માત્ર તેના વધારાના ભાગને દૂર કરે છે, એવી જ રીતે આત્મતત્વ તો સર્વની અંદર વસેલું છે, સદગુરુ માત્ર તેમના વધારાના અનાત્મ યોગ્યતા હોય છે, યોગીનું કનેકશન તેને ભવિષ્યમાં અયોગી એટલે સિદ્ઘ બનાવે છે.

વિશેષમાં, શુક્રવાર તા. ૨૭ ના ચાતુર્માસિક પાખીના અવસરે આદ્ય ગુરુવર આચાર્યદેવ નિદ્રાવિજેતા પૂજય ડુંગરસિંહજી મ.સા.ની પૂણ્ય તિથી તથા ગાદીપતિ પૂજય શ્રી ગિરીશમુનિ મ.સા. પુણ્યતિથી ઉપલક્ષે અનેકવિધ કાર્યક્રમો સાથે તા.૨૬ અને ૨૭ છઠ્ઠ તપની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તા. ૨૯ના રોજ ગુરુપૂર્ણિમાના અવસરે હજારો ભાવિકો ગુરુચરણે  શ્રદ્ઘા, ભાવ અને ભકિતની ભેટ ધરશે. આ અવસરે શેઠ ઉપાશ્રયમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે તેમ સંઘ પ્રમુખ શ્રી ચંદ્રકા તભાઈ શેઠની યાદીમાં જણાવ્યું છે.

(4:33 pm IST)