Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ખેંગારમાં કિડનીની બીમારીના કારણે જયસુખભાઇ વારણનું મોત

રાજકોટ તા.૨૩: જામનગરના ખેંગાર ગામમાં રહેતા વૃધ્ધનું બીમારીના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગરના ખેંગાર ગામમાં રહેતા જયસુખભાઇ માવજીભાઇ વારણ (ઉ.વ.૬૩) ને કિડનીની બીમારી સબબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાગળો કરી ધ્રોલ મોકલવા માટે તજવીજ હાથ ધરી છે. (૧.૬)

(3:53 pm IST)