Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રામપાર્ક ખાતે કાલ ભૈરવનો દ્વિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા શ્રી રામ પાર્ક ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં કાલ ભૈરવ દાદાની દ્વિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજ અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. શ્રી ઘનશ્યામભાઈ ભુત પરિવારના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમગ્ર આયોજન શ્રી સિદ્ધનાથ મહાદેવ ભકત પરિવારના શ્રી હેમંતસિંહ ડોડીયા, ચંદુભાઈ જોબનપુત્રા, શામજીભાઈ રામાણી, મનસુખભાઈ દેસાઈ, સી.ટી. એરવાડીયા, મયુરીબેન પટેલ, અલ્કાબેન દેસાઈ, અવનીબેન દેસાઈ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(૨-

(4:11 pm IST)