Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

માતાની બિમારી જોઇ ન શકતાં ઉપલેટાના નિલાખાની આહિર યુવતિનો આપઘાત

રિધ્ધી જળુ (ઉ.૨૦) ઝેર પી ગઇઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: ઉપલેટાના નિલાખા ગામે રહેતી રિધ્ધી ભુરાભાઇ જળુ (ઉ.૨૦) નામની આહિર યુવતિએ માતાની બિમારી જોઇ ન શકતાં ઝેર પી આપઘાત કરી લેતાં  પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રિધ્ધી જળુએ ગઇકાલે રાતે ઘરે ઝેર પી લેતાં ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સદ્દભાવનામાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો. આપઘાત કરનાર રિધ્ધી બે ભાઇની એકની એક બહેન હતી. તેના ભાઇ મહેશ જળુના કહેવા મુજબ માતા શાંતાબેન ત્રણ વર્ષથી બિમાર છે અને પથારીવશ છે. રિધ્ધી સતત માતાની સેવા કરતી હતી. પણ માતાને સારું થતું ન હોઇ તેણી માતાની આ બિમારી જોઇ ન શકતાં આપઘાત કરી લીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(11:46 am IST)