Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

થોરાળાનો કેશીયો પ્‍લેયર મનિષ નંબર વગરના વાહનમાં છરો રાખીને નીકળ્‍યો

થોરાળા પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ પી.એન. ત્રિવેદી અને ટીમે પકડયો

રાજકોટ તા. ૨૩: નવા થોરાળા મેઇન રોડ પર ગુરૂ બાળકસાહેબની જગ્‍યા પાસે વિનોદનગર-૨માં રહેતો અને કેશીયો વગાડવાનું કામ કરતો મનિષ મનુભાઇ રાઠોડ (ઉ.૨૯) નામનો શખ્‍સ નંબર વગરના એક્‍સેસ ટુવ્‍હીલરમાં છરો રાખીને ચુનારાવાડ-૩ના છેડેથી નીકળતાં થોરાળા પોલીસે પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે નંબર વગરના એક્‍સેસ પર નીકળેલા શખ્‍સને પ્રદ્યુમનસિંહ ઝાલા, વિક્રમભાઇ લોખીલે અટકાવતાં તેના વાહનની ડેકીમાંથી ધારદાર છરો મળી આવતાં ગુનો નોંધી ધરપકડ કરી વાહન પણ કબ્‍જે લીધું હતું. પોલીસ કમિશનર ખુરશીદ અહેમમ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએઅસાઇ પી. એન. ત્રિવેદી, હેડકોન્‍સ. શૈલેષભાઇ ભીસડીયા, કોન્‍સ. કનુભાઇ ઘેડ, કિરણભાઇ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, ધર્મેશભાઇ ખાંડેખા,  રમેશભાઇ માલકીયા, અમિતભાઇ તેરૈયા સહિતે આ કામગીરી કરી હતી. મનિષે શોખ ખાતર છરો ભેગો રાખ્‍યાનું રટણ કર્યુ હતું.

(2:41 pm IST)