Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રેલનગર શ્રીરામ પાર્કના મોચી વૃધ્ધ દિનેશભાઇ વાઘેલાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત

રાજકોટ તા. ૨૩: રેલનગર શ્રીરામ પાર્ક-૩માં રહેતાં દિનેશભાઇ રવજીભાઇ વાઘેલા (ઉ.વ.૬૫) નામના મોચી વૃધ્ધે સાંજે આઠેક વાગ્યે લાદી સાફ કરવાનું કલીનર પી લેતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત સવારે મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દિનેશભાઇ એક ભાઇ બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. માનસિક બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભરી લીધાનું સ્વજનોએ જણાવ્યું હતું.

(2:40 pm IST)