Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર દાઝ અને રાષ્ટ્ર ગૌરવ નરેન્દ્રભાઈ મોદીના રોમ રોમમાં વસી રહ્યા છેઃ પૂ.પારસમુનિ

સર્વ ધર્મ સમન્વયની આર્ય સંસ્કૃતિની મહાન વિચારધારાના અનુગામી બની રહો : ક્રાંતિકારી સંત પારસમુનિએ મોદી- શાહને શુભાશીષ પાઠવ્યા

રાજકોટ,તા.૨૩: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબ જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી સકારાત્મક વિચારો પ્રસ્થાપિત કરી સમાજને ઉન્નતિના રાહ પર લઈ જઈ રહ્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનેક ઉંચાઈઓ સર કરશે. નરેન્દ્રભાઈ મોદી સાધક આત્મા છે. રાષ્ટ્ર દાઝ, રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ગૌરવ, જેમના રોમ રોમમાં વસી રહ્યું છે.

વર્ષોથી ઈન્ડિયા તરીકે ઓળખાતા આ દેશને ૬૦ વર્ષ પછી ફરી ભારત તરીકે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ નરેન્દ્રભાઈ મોદીએ આપી જે દેશને માટે દેશના સર્વ નાગરિકો માટે અત્યંત ગૌરવનો વિષય છે.

નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ ગુજરાતનું ગૌરવ હતા છે અને સદાય રહેશે. ભારતીય સંસ્કૃતિના સંસ્કાર અને સંસ્કૃતિના રક્ષક બની, ધર્મને આગળ રાખી રાજ નેતૃત્વ કરતા ધર્મરક્ષક બની રહે. સર્વધર્મ સમન્વયની આર્ય સંસ્કૃતિની મહાન વિચારધારાના અનુગામી બની રહે, ન્યાય, નીતિ દ્વારા સર્વને ન્યાય મળે, સજજનોનું રક્ષણ કરનાર અને દુર્જનોનોનિગ્રહ કરનાર બની રહો, અમારા શુભાશિષ સદૈવ, સર્વત્ર શુભ થાઓ.

(4:56 pm IST)