Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઉપાધ્યાય પરિવારના આંગણે મંગલ અવસર : મુખ્યમંત્રીની ઉપસ્થિતી

રાજકોટ : અહીંના રૈયા રોડ ઉપર રહેતા જીતેન્દ્ર ડાયાલાલ ઉપાધ્યાય (મો.૯૮૨૪૯ ૧૩૧૮૬) તથા માધ્વીબેન ઉપાધ્યાયના સુપુત્ર ચિ. જયદીપના શુભલગ્ન મુળ ધોરાજી હાલ બરોડા નિવાસી મુકેશભાઇ ગુણવંતભાઇ ત્રિવેદી અને કેતનાબેન ત્રિવેદીની સુપુત્રી ચિ. હિમા સાથે થતા આ મંગલ અવસરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપ મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવ્યા હતા. ઉપરાંત આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર જયમનભાઇ ઉપાધ્યાય, પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, કુલપતિ કમલેશભાઇ જોષીપુરા, વોર્ડ નં. ર ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહેલ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ પંડીત, રૂડાના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુકલ, શ્રીમતી લીનાબેન કૌશિકભાઇ શુકલ, અલ્કાબેન અભયભાઇ ભારદ્વાજ, વંદનાબેન નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા સહીતના અગ્રણીઓ, વડીલોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

(2:42 pm IST)