Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશભરમાં નરેન્દ્રભાઇ-અમિતભાઇની રાષ્ટ્રવાદી સુનામી

રાષ્ટ્રવાદ અને વિકાસવાદને વધાવતા દેશવાસીઓઃ કાર્યકરોની મહેનત રંગ લાવી મુખ્યમંત્રી વિજયભાઇએ પણ સાબિત કરી દીધુ કે તેઓ ખરેખર સંવેદનશીલ મુખ્યમંત્રી છેઃ નરેન્દ્ર બાપુ

રાજકોટઃ તા.૨૩, દેશમાં ફરી એકવખત ભાજપનું શાસન આવ્યું છે.

દેશભરમાં નરેન્દ્રભાઇ મોદીઅને અમિતભાઇ શાહની રાષ્ટ્રવાદી સુનામી ફરી વળી હોવાનું શ્રી નરેન્દ્રભાઇ સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઓબીસી નિગમના ચેરમેન અને ચોટીલા-આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુએ જણાવ્યું છે કે કોંગ્રેસની સ્થિતિ દયજનક બની છે. ૨૦૧૪ બાદ નરેન્દ્રભાઇ મોદીએ જે રીતે દુનિયાભરમાં રાષ્ટ્રધ્વજ અને દેશવાસીઓનું માથુ ઉચુ કરી દીધુ હતુ અને રાષ્ટ્રવાદ શું કહી શકાય તેની દેશવાસીઓમાં પ્રતિતિ કરાવી છે.

જ્ઞાતિ-જાતિથી પર  ઉઠી સમગ્ર સમાજ, સમગ્ર રાષ્ટ્ર સંપૂર્ણ પણે રાષ્ટ્રવાદ અને વિકાસવાદ આ બંને ઉપર દેશવાસીઓએ મોદી અને શાહ ઉપર મહોર મારી છે.

નરેન્દ્રબાપુએ વધુમાં જણાવેલ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ પ્રસ્થાપીત કરી સાબિત કર્યું કે તેઓ સંપૂર્ણપણે સંવેદનશીલ મુખ્યમંત્રી છે. તેઓએ પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી છે.

(1:05 pm IST)