Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

'મત' એટલે 'અવાજ'... જાડેજા પરિવારે ઉત્સાહભેર અધિકાર ભોગવ્યો

રાજકોટઃ લોકશાહીના મહાપર્વને આજે ભોમેશ્વરની ડો.હેગડેવાર પ્રાથમીક શાળામાં જાડેજા પરિવારે સહપરિવાર મત આપી ઉજવ્યો હતો. અકિલાના સિનીયર પત્રકાર, જીવન કોમ. બેંકના એમડી અને પુર્વ વિપક્ષી નેતા (રા.મ્યુ. કોર્પો.)શ્રી નરેન્દ્રસિંહ જાડેજા અને અકિલાના પત્રકાર જયદેવસિંહ જાડેજાએ સહપરિવાર ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. લોકશાહીમાં 'મત' એ અધિકાર છે, 'મત' એ 'અવાજ' છે...તસ્વીરમાં પોતાનો અવાજ મતરૂપે મતપેટીમાં રેકોર્ડ કરી ભારત સરકાર ચુંટવામાં સક્રિય યોગદાન આપતા જાડેજા પરીવારના નરેન્દ્રસિંહ જાડેજા પ્રથમ તસ્વીરમાં, વચ્ચેની પારિવારીક તસ્વીરમાં ડાબેથી જયદેવસિંહ એસ.જાડેજા, પ્રતિપાલસિંહ એન.જાડેજા, નરેન્દ્રસિંહ એ. જાડેજા, ગં.સ્વ. ધિરજદેવી એસ.જાડેજા, શ્રીમતી દશરથબા નરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી હિનાબા યશપાલસિંહ જાડેજા, શ્રીમતી અલ્કાદેવી જયદેવસિંહ જાડેજા, શ્રીમતી શ્વેતાબા દર્શનસિંહ જાડેજા, દર્શનસિંહ એન.જાડેજા અને અંતિમ ફોટોમાં જયદેવસિંહ જાડેજા નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:10 pm IST)