Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સદ્દગુરૂ આશ્રમમાં પૂ.શ્રી રણછોડદાસજીબાપુના મહાસમાધી દિવસની મહાપૂજા, મંત્રજાપ સાથે ભાવભીની ઉજવણી

રાજકોટ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા સદ્દગુરૂ આશ્રમ ખાતે પૂ. રણછોડદાસજીબાપુના મહાસમાધી દિવસ નિમિતે મહાપુજા, બ્રહ્મભોજન, મહાપ્રસાદ, સુંદરકાંડ પાઠ, રામનામ મંત્રજાપ સહીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારે ગુરૂદેવનું ષોડશોપચાર પૂજન કરાયુ હતુ. યજમાન દંપતિ મીનાબેન પારેખ તથા અનિલભાઇ પારેખ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનપૂર્વક મહાપૂજા કરાઇ હતી. અન્ય ધર્મપ્રેમી ભાઇ બહેનો પણ સાથે જોડાયા હતા. ગુરૂદેવને બ્રહ્મભોજન, સાધુ ભોજન કરાવવુ પ્રિય હતુ. તેઓ કહેતા કે 'ઇન લોગ કો ભોજન પાતે દેખકર ઐસા લગતા હૈ કી મૈ હી પા રહા હું'! આશ્રમ ખાતે આયોજીત આ કાર્યક્રમો દરમિયાન આશરે ૩૫૦૦ બ્રહ્મદેવતા અને ૪૦૦ સંત ભગવાને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સુંદરકાંડ પાઠ અને રામનામ મંત્રજાપથી માહોલ ધર્મમય બનાવી દેવાયો હતો. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

(3:57 pm IST)