Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાજપથી નારાજ થયેલા બે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

 રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૩નાં ભાજપનાં કાર્યાલયમાં બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કાર્યકરોને કોર્પોરેટરો સાથે ઉગ્ર માથાકૂટ થયા બાદ સંજય ગોસ્વામી અને જયપાલ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા હતા. આ બન્ને કાર્યકરોને કોંગી આગેવાન દિનેશ ચોવટીયાએ ગઇકાલ સાંજે કોંગ્રેસનો ખેંસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને પ્રભાતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 pm IST)