Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આયુર્વેદીક કોન્ફરન્સ સંપન્ન

 ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે આયોજીત નેશનલ આયુર્વેદીક કોન્ફરન્સ 'સ્વાસ્થ્ય કોન ૨૦૧૮' ની પુર્ણાહુતી આયુર્વેદ ઇસ્ટિટયુટ દિલ્હીથી આવેલ ડો. મંગલાગૌરીની ઉપસ્થિતીમાં થઇ હતી. આ પ્રસંગે ડો. પ્રસન્ન રાવ, ડો. હિતેષ વ્યાસ, ડો. જોબનપુત્રા, ડો. વિક્રમ ઉપાધ્યાયએ પ્રાસંગીક વકતવ્ય આપી માર્ગદર્શન આપેલ. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભારત સરકારના આયુષના વિભાગના પ્રતિનિધિ ડે. એડવાઇઝર ડો. એ. રઘુ, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. કમલ ડોડીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, ઇન્સ્ટીટયુટ અને રીસર્ચ હોસ્પિટલીના પ્રેસીડેન્ડ ડો. નેહલભાઇ શુકલ, ડો. એ રઘુ, ગુજરાત આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડના સભ્ય ડો. જયેશ રાજયગુરૂ ઉપસ્થિત રહેલ.  પ્રાંભમાં સ્વાગત પ્રવચન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણીએ અને અંતમાં આભારવિધિ કોલેજના આચાર્ય ડો. લીનાબેન શુકલે કરી હતી.

(4:17 pm IST)