Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

દોઢસો ફૂટ રોડ આંબેડકરનગરમાં જીતેન્દ્રભાઇ પરમારના મકાનમાંથી સવા લાખનો મતાની ચોરી

જીતેન્દ્રભાઇ પરિવાર સાથે ગોંડલના નાગડકા બહેનના સાસરે ગયાને તરસ્કરો રોકડ તથા ઘરેણા ચોરી ગયા

રાજકોટ,તા.૨૩ : દોઢસો ફૂટ રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતા દલીત યુવાન પરિવારજનો સાથે નાગડકા ગામે બહેનના સાસરીયે ગયા ત્યારે પાછળથી તરસ્કરોએ તેના બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા ઘરેણા મળી સવાલાખની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આંબેડકર નગર શેરીનં. ૧માં રહેતા જીતેન્દ્રભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉ.વ. ૩૫) પરમ દિવસે પોતે મકાનને તાળુમારી પરિવાર સાથે ગોંડલના નાગડકા ગામે બહેનના સાસરે તેને મળવા માટે ગયા હતા પાછળથી કોઇ અજાણ્યા શખ્શોએ મકાનના દરવાજા નકુચો તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોનાની બે પોખાણી, બે બુટ્ટી, બે કાનની સોનાની સર, બે કાનના દાણા, અને બે હાથના પાટલા તથા રૂ. ૩૫૦૦૦ રોકડ મળી કુલ રૂ. ૧,૧૫,૦૦૦ની માલમતા ચોરી ગયા હતા. ગઇકાલે પાડોશીએ ફોન કરી જાણ કરતા પરિવાર સાથે રાજકોટ આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તુટેલો અને કબાટનું લોક તુટેલુ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ જીતેન્દ્રભાઇ એ માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસ આઇ જે.કે. પાંડવદરા તથા પ્રશાંતસિંહએ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)