Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બાયપાસ કઢાશે તો આમરણમાં ર હજાર મકાનોને ખતરો ચોમાસામાં ડાયમંડનગર અને જુનુ આમરણ પાણીમાં ગરકાવ થઇ જશે : મોટી સંખ્યામાં લોકો વાહનો લઇને રેલી સ્વરૂપે મોરબી કલેકટરને રજૂઆત

રાજકોટ : મોરબી જીલ્લાના આમરણના નીચાણવાળા વિસ્તારોમાંથી હાઇ-વે પસાર થશે તો લોકો માટે અનેક હાલાકી સર્જાશે અને ર૦૦૦ મકાનોને ખતરો છે તેમજ ચોમાસા જુનુ આમરણ અને ડાયમંડનગર પાણીમાં ગરકાવ થઇ જશે. વિરોધમાં મોરબીના ડાયમંડનગરના સરપંચ હિનાબેન કાસુન્દ્રા, ઉપસરપંચ મનસુખભાઇ બોડા તથા આમરણના સરપંચની આગેવાનીમાં આજે મોરબી જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે વાહનો લઇને ગ્રામજનો ઉમટયા હતાં અને વિરોધ પ્રદર્શન કરીને તાકીદે યોગ્ય કરવા માંગણી કરી હતી તેમ આમરણના ગ્રામજનો વતી વિનોદભાઇ કાસુન્દ્રાએ જણાવ્યું હતું.

(4:07 pm IST)