Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

માર્ચ એન્ડીંગમાં સૌરાષ્ટ્રભરના યાર્ડો એક સપ્તાહ બંધ રહેશે

આગામી ૨ એપ્રીલથી ફરી યાર્ડમાં કામકાજ ચાલુ થશે

રાજકોટ તા.૨૩: માર્ચ એન્ડિંગ હોવાથી ૨૫ થી ૩૧ માર્ચ સુધી સૌરાષ્ટ્રભરમાં યાર્ડમાં હરાજીનુ કામ બંધ રાખવામાં આવશે. આ દિવસે ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં હરાજીમાં નહી લાવવા કહેવામાં આવ્યું છે. આ દિવસોમાં યાર્ડના આખા વરસના હિસાબ, ઓડિટની કામગીરી ચાલુ રહેશે. રાજકોટ ઉપરાંત ગોંડલ, વાંકાનેર, ઉપલેટા, જેતપુર, ધોરાજી, જસદણ, મોરબી, જામજોધપુર, જામનગર, કોડીનાર, બોટાદ, જામખંભાળિયા, ઊના વગેરે યાર્ડ બંધ રહેશે. જ્યારે રવિવારે ૧ એપ્રિલ છે અને આ દિવસે રાબેતા મુજબની રજા હોય સોમવારે ૨ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. માર્ચ એન્ડિંગને પગલે યાર્ડ બંધ રાખવામાં આવનાર હોવાનું સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું છે.

(12:01 pm IST)