Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સદ્દગુરૂ પરિવાર દ્વારા ઉજૈન- ઈન્દોરમાં નેત્રયજ્ઞ

રાજકોટઃ પૂ.સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજે સદેહે જયાં નેત્રયજ્ઞો કરેલા તેવા રાજય બહારના સ્થળે ગુજરાતના સીમાડા વટાવી ગરીબી રેખા નીચે જીવતા લોકોને શોધી- શોધી નવી રોશની આપવાના ભાગરૂપે ચાલતા નેત્રમણી સાથેના વિના મૂલ્યે નેત્રમણી સાથેના શ્રી સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આયોજિત ૩૬-૩૭માં સુપર મેગા નેત્રયજ્ઞનો લાભ દશહજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. ઉજૈન-ધાર તથા ઈન્દોર (એમ.પી.) ખાતેના આ કેમ્પમાં ૮૦ હજારથી વધુ  મોતીયાના દર્દીઓને દિવ્યદ્રષ્ટી પ્રદાન થઈ હતી. તેમ ટ્રસ્ટનો પ્રમુખ દાનાબાપા ડાંગર અને કરવેરા સલાહકાર ઈશ્વરભાઈ ખખ્ખર તથા ચંદુભાઈ રાઠોડની યાદીમાં જણાવેલ છે.(૩૦.૭)

(4:04 pm IST)