Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કાલે દલિત સમાજના સમુહલગ્નઃ વિજયભાઇની ઉપસ્થિતિમાં ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

દીકરીઓને કરીયાવરમાં ૭૫થી વધુ વસ્તુઓ અપાશેઃ મેઘરૂષી ટ્રસ્ટનું આયોજન

રાજકોટઃ તા.૨૩, મેઘરૂષી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા.૨૪ના રવિવારે દલિત સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નવયુગલોને આર્શીવચન પાઠવશે.

કરીયાવરમાં   દીકરીઓને સોનાના દાણા, ચાંદીના સાંકળા, સેટી, કબાટ, વાસણ સહિત ૭૫થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.આ સમુહલગ્ન અંતર્ગત આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુસુચીત જાતિ) ડાયરેકટર શ્રી રઘુભાઇ સોલંકીના પ્રમુખસ્થાને નીતુભાઇ સિંધવ, કે.કે. મકવાણા, સી.કે. બાબરીયા, એમ.એસ.રાણવા, ડી. આર. મેવાડા, નરેશ ભોજાણી, શૈલેષ સોલંકી, મંગાભાઇ રાઠોડ, હસુભાઇ વાઘેલા, ઉમંગ ભોજાણી, રામન ચૌહાણ, જગદીશ એમ. ભોજાણી સહિતની ટીમની રચના કરવામાં આવી છે. મેઘરૂર્ષિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૪ રવિવારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાના મવા ચોકડી નજીક આવેલા મ્યુનિ. કોર્પોરેશન ગ્રાઉન્ડમાં આયોજીત સમુહલગ્નોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, મેયરશ્રી બીનાબેન આચાર્ય, શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સ્ટે. કમિટિના ચેરમેન શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી અશ્વિન મોલીયા, શ્રી દલસુખ જાગાણી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી ગોતમભાઇ ગેડીયા, શ્રી  લાખાભાઇ સાગઠીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી નિતિનભાઇ ભુત, શ્રી  મહેશ રાઠોડ, શ્રી રઘુભાઇ ધોળકીયા, શ્રી ડી.બી. ખિમસુરીયા, શ્રી કાથડભાઇ ડાંગર, શ્રી અમરશીભાઇ મકવાણા, વિજયાબેન સોલંકી શ્રી રાજુભાઇ અઘેરા, શ્રી રમેશભાઇ ચાવડીયા સહિતના ઉપસ્થિત રહેશે.આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી રઘુભાઇ સોલંકી (મો. ૯૨૨૮૭ ૧૮૭૩૧), વિનુભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ મકવાણા, માદુભાઇ રાણવા, વિનુભાઇ રાણવા, મંગાભાઇ રાઠોડ, હસુભાઇ વાઘેલા, કાનજીભાઇ શિંગાળા, વિરજીભાઇ શિંગાળા, નરેશ ભોજાણી, નિતુભાઇ સીંગલ, શૈલેષભાઇ સોલંકી, મનુભાઇ ધાંધલ, કલ્પાણદાસ બાપુ, અલ્પેશભાઇ ચાવડા અને લક્ષ્મીકાંચ રાઠોડ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)