Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મામા સાહેબના મંદિરે શ્રીફળ વેંચતા જશોદાબેન દરજીએ જાતે ઇન્જેકશન લેતાં તબિયત બગડી

આ દરજી મહિલાના પતિની અગાઉ આ મંદિર પાસે જ હત્યા થઇ'તી

રાજકોટ તા.૨૩: કોઠારીયા નાકા નજીક મામા સાહેબના મંદિર પાસે બેસી શ્રીફળ અગરબત્તી વેંચી ગુજરાન ચલાવતાં રામનાથપરા-૬માં રહેતાં જશોદાબેન બિપીનભાઇ મકવાણા (ઉ.૩૮) નામના દરજી મહિલાએ સાંજે મંદિર પાસે હતાં ત્યારે પોતાની જાતે કોઇ ઇન્જેકશન લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જશોદાબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ત્રણેક વર્ષ પહેલા મામા સાહેબના મંદિર પાસે શ્રીફળની લારી રાખવા બાબતે સામેવાળા મુસ્લિમ શખ્સ સાથે માથાકુટ થતાં જશોદાબેનના પતિ બિપીનભાઇની હત્યા થઇ હતી.

 

(3:47 pm IST)