Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કાલે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સ્વામી વિઠ્ઠલ અને માં પ્રેમનિધિનો સત્કાર સમારોહ

ઈશ્વરીયા ગામે કનુભાઈના ફાર્મ પર ચાલી રહેલી ઓશો ધ્યાન શિબિરમાં રવિવારે સવારે સન્યાસ ઉત્સવ

રાજકોટ : સંબુદ્ધ રહસ્યદર્શી સદ્દગુરૂ ઓશોનું સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિર, સન્યાસ ઉત્સવ, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ભજન - કિર્તન, ગીત - સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ અને ૩૩ વર્ષથી ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર - નવાર ઉજવવામાં આવે છે.

રાજકોટ ખાતે ચાર દિવસીય ઓશોની ધ્યાન શિબિરનું સંચાલન કરવા આવેલા સ્વામી વિઠ્ઠલ (મુંબઈ) અને માં પ્રેમનિધિ (દિલ્હી) બંનેનો સ્વાગત સમારોહ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવતીકાલે ૨૪ સાંજના ૬ થી ૮:૩૦ દરમિયાન રાખેલ છે. તેમના સાનિધ્યમાં સંધ્યા સત્સંગ તથા વિડીયો દર્શન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વામી વિઠ્ઠલ સાથે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશનો ૪૦ વર્ષ જૂનો સંબંધ છે. ૧૫ વર્ષ પહેલા તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવેલા અને ઓશોના ધ્યાનના વિશેષ પ્રયોગ કરાવેલ.

ઉપરોકત સ્વાગત સમારોહમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓને અનુરોધ કરેલ છે. સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ. વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩.(૩૭.૪)

 

(12:04 pm IST)