Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સોરઠીયા દરજી યુવા સંગઠન દ્વારા જુનાગઢ તળેટીમાં રવિવારે સમૂહલગ્ન-નિદાન કેમ્પ-સન્માનોત્સવ

રાજકોટ તા.ર૩ : સોરઠીયા દરજી યુવા સંગઠન દ્વારા તા.ર૬ના રવિવારે જૂનાગઢ ગીરનાર તળેટીમાં જ્ઞાતીના સમૂહલગ્નનનું આયોજન કરાયું છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંગઠનના આગેવાનોએ જણાવેલ કે સનાતન હિન્દુ ધર્મશાળા ગીરનાર તળેટી ખાતે આયોજીત આ સમુહલગ્નમાં ૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

રવિવારે સવારે ૬ વાગ્યે જાન આગમન, ૮-૩૦ વાગ્યે વરઘોડો, ૧૦-૩૦ વાગ્યે હસ્ત મેળાપ અને બપોરે ૩ વાગ્યે કન્યા વિદાય અપાશે.

દાતાઓના સહયોગથી દરેક દિકરીને સોનાની ચૂક, ચાંદીની ગાય, સેટી, કબાટ, ખુરશી સહીતની જીવન જરૂરીયાતની થોકબંધ વસ્તુઓ કરીયાવરમાંં અપાશે.

સમુહલગ્નની સાથે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે, તેમજ જ્ઞાતિના ડોકટર અને જજશ્રીઓનું સન્માન કરાશે. ધો.૧૦-૧રમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરાશે.

સમારોહના ઉદ્દઘાટક તરીકે તનસુખભાઇ ગોહેલ એડવોકેટ રાજકોટ, ગુણવંદભાઇ ગોહેલ અમદાવાદ, ચંદ્રકાંતભાઇ ગોહેલ લોધીકા, હરેશભાઇ ચૌહાણ રાજકોટ, અરવિંદભાઇ રાઠોડ, ગાંધીનગર, શામજીભાઇ રાઠોડ અમરેલી ઉપસ્થિત રહેશે.

દીપ પ્રાગટય વિધિ રજનીકાંત ચૌહાણ મુંબઇ, બળવંતભાઇ હીંગુ એડવોકેટ વડોદરા, પ્રફુલભાઇ રાઠોડ એડવોકેટ અમદાવાદ, મનુભાઇ ગોહેલ નિવૃત્ત ડેપો મેનેજર ગોંડલ, ગીરીશભાઇ રાઠોડ, અમદાવાદ, ગોપાલભાઇ જેઠવા મોટા દેવળીયા, જે.ટી.હીંગુ અમરેલી, કિશોરભાઇ ગોહેલ લોધીકાના હસ્તે થશે.

SSDYS સંસ્થાપક દુશ્યંતભાઇ ગોહેલના દુરદેશી વિચારોથી સંસ્થા આવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તનસુખભાઇ ગોહેલ (મો.૯૮૯૮૦ ૬૮૧૧૭), દુશ્યંતભાઇ ગોહેલ (મો.૮૦૦૦ર ર૪૪૭૯), શૈલેષભાઇ ગોહેલ, કિરીટભાઇ ગોહેલ, અનંતભાઇ ગોહેલ, રસિકભાઇ ગોહેલ, જતીનભાઇ ગોહેલ, રણજીતભાઇ ગોહેલ, અનંતભાઇ સોલંકી, હીતેષભાઇ ગોહેલ, ભાવેશભાઇ મકવાણા, રમેશભાઇ હીંગુ, જયેશભાઇ રોધેલીયા, જીતુભાઇ હીંગુ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)