Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સગીરાનું અપહરણ અને બળાત્કારના કેસમાં ધવલ ઉર્ફે ગોપાલને આશરો આપનાર ધાર્મિક અને પ્રફુલ પકડાયા

ભકિતનગર પોલીસે બંનેની ધરપકડ કરીઃ ધવલનેે તેના ભાઇ ધાર્મિક ઉર્ફે ધનસુખે આર્થિક મદદ અને અડવાણાના પ્રફુલે આશરો આપ્યો'તો

રાજકોટ તા.ર૩ : શહેરના ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં પકડાયેલા શખ્સને ભકિતનગર પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ રાજકોટની સગીરાને ત્રણ માસ પહેલા ધવલ ઉર્ફે ગોપાલ નામના શખ્સેલગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પીઆઇ વી.કે.ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇ સહિતે ધવલ ઉર્ફે ગોપાલની ધરપકડ કરી હતી બાદ તપાસ દરમ્યાન આરોપી લુહાર શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ખેલતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરતા આરોપી ધવલ ઉર્ફે ગોપાલને મદદ કરનારા શખ્સોના નામ ખુલતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડકોન્સ નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ, વિક્રમભાઇ, સલીમભાઇ, મહેન્દ્રસિંહ, હીરેનભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, વિશાલભાઇ, મનિષભાઇ, રવીરાજભાઇ, હિતેષભાઇ અને રાજેશભાઇ સહિતે આરોપી ધવલ ઉર્ફે ગોપાલને આર્થિક મદદ કરનાર તેનાભાઇ ધાર્મિક ઉર્ફે ધનસુખ લલીતભાઇ ડોડીયા (ઉ.ર૬) (રહે. સહકાર રોડ ઇન્દીરા નગર શેરી નં.૩માં ભાડે) અને પોરબંદરના અડવાણા ગામમાંઆશરો આપનાર પ્રફુલ નટુભાઇ આસોડીયા (ઉ.૩૮) (રહે. અડવાણા ગરબી ચોક પાસે)ની ધરપકડ કરી હતી.

(3:58 pm IST)