Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું અને ભીલવાસમાં યુવાનનું બીમારી સબબ મોત

રાજકોટ તા. ર૩: ગોંડલ રોડ સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું અને ભીલવાસમાં યુવાનનું બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા કરશનભાઇ ગોપાલભાઇ પોપટ (ઉ.વ. ૬પ) સવારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં ભીલવાસ શેરી નં. ૧ માં રહેતા રણજીતભાઇ વીરજીભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૪પ) સવારે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ તબીયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)