Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપ બળવાખોર સંજયસિંહ વાઘેલાને કોંગી અગ્રણીઓનો ટેકો

શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુત, અશોક ડાંગર, જયશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેટર સંજય અજુડીયા સહીત તમામ કોંગી આગેવાનો દ્વારા અપક્ષ માટે પ્રચાર શરૂ

રાજકોટ તા.ર૩ : અહીંના વોર્ડ નં.૧૩માં પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને વિપક્ષ કોંગ્રેસ આ ચૂંટણી જંગમાંથી નિકળી ગયો છે. ત્યારે હવે કોંગ્રેસમાં એકાએક ભાજપમાં બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સંજયસિંહ વાઘેલાને ટેકો આપીને તેના માટે ચૂંટણી પ્રચારમાં લાગી જવા નિર્ણય કર્યો છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને સંદેશો પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે આપણા પરિવારના સભ્યોને નમ્ર વિનંતી સાથે જણાવવાનું કે વોર્ડ નં. ૧૩ ની પેટા ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને ટેકો જાહેર કરેલ છે તેથી સૌ સંજયસિંહને વિજયી બનાવવા માટે અને ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે આ લડાઇમાં જોડાઇ જવા અનુરોધ છ.ે

જે કોંગી આગેવાનોએ સંજયસિંહને ટેકો જાહેર કર્યો છ.ે તેમાં ડો. હેમાંગભાઇ વસાવડા, હિતેશભાઇ વોરા, અશોકભાઇ ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઇ સાગઠીયા, સંજયભાઇ અજુડિયા, પ્રદીપભાઇ ત્રિવેદી, મનસુખભાઇ કાલરીયા, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ચાવડા, દિનેશભાઇ મકવાણા, ગોપાલભાઇ અનડકડ, અતુલભાઇ રાજાણી, અશોકસિંહ વાઘેલા, સુરેશભાઇ બથવાર, જાગૃતિબેન ડાંગર, નરેશભાઇ સાગઠીયા, રવજીભાઇ ખીમસુરીયા, વિજયસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, ભીખાભાઇ ગજેરા, વલ્લભભાઇ પરસાણા, વિપુલભાઇ ચોવટિયા, ગોવિંદભાઇ સભાયા, કેતનભાઇ ઝરીયા, વિગેરે આગેવાનોનો સમાવેશ હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જાહેર કર્યું છ.ે(૮.૧૬)

(3:54 pm IST)