Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઘટેશ્વરમાં એસઆરપીમેનના પત્‍નિએ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી

ઇંસ્‍ટાગ્રામમાં મેસેજ કરવા મામલે ચડભડ થતાં પગલુ ભર્યુ : પતિ પરેડમાંથી ઘરે આવ્‍યા ત્‍યારે પત્‍નિ લટકતા મળ્‍યાઃ હોસ્‍પિટલે ખસેડયા પણ જીવ ન બચ્‍યોઃ બે પુત્રી મા વિહોણી થઇ જતાં ગામિત પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પમાં રહેતાં એસઆરપીમેનના પત્‍નિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સોશિયલ મિડીયા પર મેસેજ કરવા મામલે પતિ-પત્‍નિ વચ્‍ચે ચડભડ થયા બાદ આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પમાં રહેતાં અને એસઆરપીમાં ફરજ બજાવતાં અતુલભાઇ ગામિત સવારે પરેડ કરવા ગયા બાદ ઘરે આવ્‍યા ત્‍યારે પત્‍નિ પ્રિતીકા ગામિત (ઉ.વ.૩૩) લટકતાં જોવા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેણીને બેભાન હાલતમાં નીચે ઉતારી ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ. આર. ઝાલા અને અનુજભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મુળ તાપી પંથકના છે. લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા હતાં અને સંતાનમાં બે પુત્રી છે. પતિ-પત્‍નિ વચ્‍ચે સવારે ઇંસ્‍ટાગ્રામમાં મેસેજ કરવા મામલે ચડભડ થઇ હોઇ તેના કારણે માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું.

(2:55 pm IST)