Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

હું ભૂલથી ભટકી ગયો હતો: ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં કોંગ્રેસની માંગી માફી

હું આમ આદમી પાર્ટીમાં ગયો હતો એ કોઈ કટર ઈમાનદાર પાર્ટી નથી પરંતુ ભ્રષ્ટાચારી પાર્ટી છે મેં એ લોકોને નજરથી જોયા છે તેમનો વિશ્વાસ ન કરતા હું કોંગ્રેસ અને બધાની માફી માગું છું.

રાજકોટ: આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજયના પ્રચાર અર્થે આજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ રાહુલ ગાંધીની સભા પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, કોંગ્રેસની હું માફી માગું છું  હું ભૂલથી ભટકી ગયો હતો. હું આમ  આદમી પાર્ટીમાં ગયો હતો એ કોઈ કટર ઈમાનદાર પાર્ટી નથી પરંતુ ભ્રષ્ટાચારી પાર્ટી છે મેં એ લોકોને નજરથી જોયા છે તેમનો વિશ્વાસ ન કરતા હું કોંગ્રેસ અને બધાની માફી માગું છું.

(7:27 pm IST)