Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પ્રજાપતિ સમાજના પોલીસ ભરતીના ઉમેદવારો માટે કાલે વિનામુલ્યે માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા. ૨૨ : ગુજરાત પોલીસ દળ વર્ગ ૩ લોકરક્ષકની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા પ્રજાપતિ સમાજમાંથી ઉમેદવારી કરનાર ભાઇ બહેનોને સાચુ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી કાલે તા. ૨૩ ના મંગળવારે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે કાલે તા. ૨૩ ના મંગળવારે સાંજે ૪ થી ૬ સુધી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવેલ આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમીનારમાં મુખ્ય તજજ્ઞ ડો. ભાવેશ કોરીયા ઉપસ્થિત રહી તલસ્પર્શી માર્ગદર્શન આપશે. ઉપરાંત હેતુલક્ષી પરીક્ષા માટે કોચીંગ કલાસ તેમજ ગ્રાઉન્ડ ટ્રેનીંગ સંબંધી માહીતી અપાશે.

વધુને વધુ સંખ્યામાં પ્રજાપતિ સમાજના ઉમેદવારો આ સેમીનારનો લાભ લ્યે તેવો અનુરોધ કરાયો છે.

વિનામુલ્યે સેમીનારમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરાવવા રમેશભાઇ ગોહીલ (મો.૯૯૭૮૯ ૨૯૩૪૧), રાજેશભાઇ સવનીયા (મો.૭૬૦૦૦ ૧૦૧૦૧), પ્રફુલભાઇ કુકડીયા (મો.૭૫૬૭૩ ૩૪૨૩૫), દિનેશભાઇ કુકડીયા (મો.૯૪૦૯૫ ૨૮૧૨૮), વિમલભાઇ પાણખાણીયા (મો.૯૮૯૮૦ ૯૫૯૯૩), રમેશભાઇ છાયા (મો.૯૮૨૫૬ ૩૪૩૫૯) નો સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા રાજેશભાઇ સવનીયા અને અન્ય આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(2:43 pm IST)