Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજકોટ રેલ્વેના સફાઈ કર્મચારીની ઈમાનદારીઃ ૨૦ હજારનો મોબાઈલ મહિલા મુસાફરને પરત આપ્યો

રાજકોટ, તા. ૨૨ :. ૧૯ નવેમ્બરના મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલમાં દ્વારકા સુધી મુસાફરી કરી ટ્રેનમાંથી ઉતરેલા મીરાબેન નામના મુસાફરનો આશરે ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન ટ્રેનમાં ભુલાય ગયો હતો. આ ફોન ટ્રેનમાં સફાઈ કરી રહેલા ધીરજભાઈ મહિડા નામના સફાઈ કામદારના હાથમાં આવ્યો હતો.

ધીરજભાઈએ આ મોબાઈલ તૂરંત આરપીએફના પોલીસમેન નરેશકુમારને સોંપી આપ્યો હતો. આ દરમિયાન મળી આવેલા મોબાઈલ ઉપર રીંગ આવતા નરેશકુમારે રીસીવ કરતા મોબાઈલ મીરાબેન નામના મુસાફરનો હોવાનું બહાર આવ્યુ હતું. જેમને આરપીએફ ઓફિસે બોલાવી મોબાઈલ પરત આપવામાં આવ્યો હતો.

આમ કલાસ-૪ના કર્મચારી ધીરજભાઈએ પોતાની ઈમાનદારી દેખાડતા ઉચ્ચ અધિકારીઓએ તેમની પીઠ થપથપાવી હતી.

(2:37 pm IST)