Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શાળા નં. ૯૪ માં ગાંધીજીનું જીવન કવન રજુ

 પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીરાજારામ મોહનરાય પ્રાથમિક શાળા નં. ૯૪ માં ગાંધીજીના જીવન પ્રસંગોને લઇને વાચીકમ કાર્યક્રમ રજુ થયો હતો. જેમાં જાણીતા કવિ ગાયક પ્રકાશભાઇ હાથીએ ગાંધીજીના જીવનનો  પ્રસંગોનું પઠન છાત્રો સમક્ષ કરેલ. ગાંધીજીના પ્રિય ભજનને રજુ કરી જીવનમાં ઉતારવાની શીખ અપાઇ હતી. સંસ્થાના અગ્રણી દિનેશભાઇ ગોવાણીના હસ્તે શાળાને ગાંધીજીના સત્યના પ્રયોગો પુસતક ભેટરૂપે અપાયેલ. અંતમાં વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશીએ આભારવિધિ કરી હતી. શાળા પરિવારના મધુબેન બરડીયાએ સૌનું સ્વાગત કરેલ.

(3:24 pm IST)