Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સમસ્ત ગુરૂબ્રાહ્મણ સમાજ દ્વારા શનિવારે પ્રથમ સ્નેહમિલન

રાજકોટ, તા. ૨૨ : સમસ્ત ગુરૂ બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા.૨૪ના શનિવારે સાંજે ૫ કલાકે નાગર બોર્ડીંગ (વિરાણી ચોક, વિરાણી હાઈસ્કુલ સામે) ખાતે રાખેલ છે. જેમાં આગામી કાર્યક્રમો - સમાજ ગુરૂ બ્રાહ્મણ સ્પર્ધાત્મક પરીક્ષા ધો.૧૦ થી ૧૨માં વિદ્યાર્થીઓ માટેની યોગ્ય માર્ગદર્શન શિબિર, સમૂહ લગ્નનું આયોજન, લગ્ન વિષયક પસંદગી મેળો વિદ્યાર્થી સન્માન સમારોહ સહિતની ચર્ચા કરવામાં આવેલ છે. આયોજનમાં ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ રાજકોટ જીલ્લા ઘટકના પ્રમુખ મનોજભાઈ ગેડીયા, મહામંત્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ રાહુલભાઈ દવે, ઉપપ્રમુખ શૈલેષભાઈ ગેડીયા અને મંત્રી હરેશભાઈ જોષી જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:17 pm IST)