Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પ્રતિભા સન્માન તથા દિવ્યાંગ વિદ્યાર્થી સ્કોલરશીપ અર્પણ

સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ

રાજકોટ : સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલમાં ધો. ૧ થી ધો. ૧ર સુધીનો અભ્યાસ કરતા અને શાળા કે બોર્ડ દ્વારા લેવાયેલ વર્ષાન્ત પરીક્ષામાં પ્રથમ પાંચ ક્રમાંક પ્રાપ્ત કરેલ પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ, તેમજ ધો. ૧૦ ની બોર્ડ પરીક્ષામાં સમગ્ર રાજકોટ શહેરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અર્પણ કરવાનો કાર્યક્રમ સંસ્થા દ્વારા સંચાલિત ઇન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશનના મધ્યસ્થ ખંડમાં જાણીતા આર્કિટેકટ રિખવભાઇ સંઘવી, શ્રીમતી હેમલબહેન સંઘવી જતિનભાઇ ભરાડના અતિથિ વિશેષ પદે તથા સંસ્થાનના સંસ્થાનપકો શ્રીમતી ઉષાબહેન જાની, ગુલાબભાઇ જાની તથા સંસ્થાના ટ્રસ્ટી બળવંતભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. સ્ટેશન પર ડાબેથી મહેશભાઇ જાની, શ્રીમતી ઉષાબેન જાની, બળવંતભાઇ દેસાઇ, રિખવભાઇ સંઘવી, શ્રીમતી હેમલબહેન સંઘવી, બાલકિશોર વિદ્યાલય, રાજકોટની વિદ્યાર્થીની રિંકલ રાઠોડ, સિંહાર સ્કુલ, રાજકોટના વિદ્યાર્થી આયુષ ભાલોડિયા, જતિનભાઇ ભરાડ, ગુલાબભાઇ જાની, રશ્મિકાંતભાઇ ત્રિવેદી તથા શ્રી દીપકભાઇ જોશીની સમુહ તસ્વીર.

(3:56 pm IST)