Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સહકાર ભારતી રાજકોટના અધ્યક્ષપદે ડો.એન.ડી.શીલુ અને ઉપાધ્યક્ષ પદે હરગોપાલસિંહ જાડેજાની વરણી

રાજકોટ : સહકાર ભારતી રાજકોટ ૨૦૨૧ના વર્ષના હોદેદારો અંગેની અગત્યની બેઠક માધવ શરાફી સહકારી મંડળી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સહકાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ નલીનભાઇ વસા તથા ગુજરાત પ્રાંતના સહ સંગઠન અધ્યક્ષ હિરેનભાઇ શાહ તથા સૌરાષ્ટ્ર પ્રાંત વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઇ દવે, ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ સંપર્ક પ્રમુખ વિશાલભાઇ જોષી, સહકાર ભારતી જીલ્લા અધ્યક્ષ ટપુભાઇ લીંબાસીયા તથા નરેશભાઇ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. શહેર સહકાર ભારતીના વર્ષ ૨૦૨૧ના સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવતા. ડો. એન.ડી.શીલુ-અધ્યક્ષ, હરગોપાલસિંહ જાડેજા -ઉપાધ્યક્ષ, જયેશભાઇ સંઘાણી-મહામંત્રી તેમજ કારોબારી સભ્ય તરીકે સર્વશ્રી મહેન્દ્રભાઇ (બાલુભાઇ) શેઠ, વિજયભાઇ કોઠારી, દિપકભાઇ મકવાણા, નીતિનભાઇ મહેતા, અરૂણભાઇ નિર્મળને પ્રચાર-પ્રસાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ શુકલએ તેમજ આભાર દર્શન જયેશભાઇ સંઘાણીએ કર્યું હતું.

(3:03 pm IST)