Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

નીતિન ભારદ્વાજ કે લીએ જન્‍મદિન કી બહાર, મંગલમય હો સબકે લીએ દિપો કા ત્‍યોહાર

રાજકોટઃ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સુરેન્‍દ્રનગરના પ્રભારી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજનો આજે જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ તા.૨૧ ઓકટોબર ૧૯૬૩ના દિવસે થયેલ. આજે  તેઓ યશસ્‍વી જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. નીતિન ભારદ્વાજ ભૂતકાળમાં બે વખત સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચુકયા છે. જુદા- જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી ચુકયા છે. સંગઠન અને વહીવટ બન્‍ને ક્ષેત્રના અનુભવી છે. સ્‍થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવા  જોરશોરથી કાર્ય કરી રહયા છે. સુરેન્‍દ્રનગરમાં પ્રભારી તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી અને ભાજપને આ બેઠક ઉપર વિજય બનાવવા બહુમૂલ્‍ય યોગદાન આપેલ. મહારાષ્‍ટ્રના પુનામાં પણ તેઓને ૧૧ વોર્ડની જવાબદારી આપવામાં આવી હતી. નીતિનભાઈના જન્‍મદિને રાજકીય, સામાજીક, વિવિધ ક્ષેત્રના આગેવાનો, પક્ષના કાર્યકરો દ્વારા તેઓને મો.૯૮૨૪૦ ૪૩૦૪૩ ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.


 

(11:26 am IST)