Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરી મુખ્યમંત્રીએ સાશન સંભાળ્યાના પ્રથમ દિવસે આપેલ વચન પાળ્યું

રાજય સરકારે જાહેર કરેલ સહાય પેકેજને આવકારતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા બાદ એજ દિવસે સૌરાષ્ટ્રના પુર અસરગ્રસ્ત વિસ્તારોની તાત્કાલિક જાત મુલાકાત લઈ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા બાદ ધોવાણ થી થયેલ નુકસાની  ઝડપી સર્વે કરવા ની સૂચના આપેલ હતી. સર્વે થાય બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે યુદ્ધના ધોરણે નિર્ણય લઇ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં પડેલા ભારે વરસાદ પગલે ખેડૂતોના પાકને થયેલ નુકશાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જામનગર , જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. ભારે વરસાદના પગલે નુકશાન થયાનું સામે આવતા એક જ મહિનાની અંદર વરસાદે વિરામ લેતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત નિર્ણય કરી સહાય પેકેજ જાહેર કરવાંમાં આવતા સૌરાષ્ટ્ર ભાજપ ના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે રાજ્યના મુખ્યમંત્રીઁશ્રી અને તેમના નેતૃત્વ હેઠળ ની ગુજરાત ભાજપ સરકારને અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો હતો.

રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે , ભાદરવામાં  અતિવૃષ્ટિ પ્રભારે વરસાદના પગલે રાજકોટ , જામનગર , જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતોના હિતમાં નિર્ણય કરી નુકશાની અંગે સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે. જે બતાવે છે કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર હમેશા ખેડૂતોની ચિંતા કરે છે અને તેના હિતમાં હમેશા ત્વરિત નિર્ણયો કરી ખેડૂતોને લાભ થાય અને દેશનો ખેડૂત સમૃધ્ધ બને તે દિશામાં કામ કરે છે.

રાજકોટ , જામનગર , જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના જે ગામોના ખેડૂતોને ભારે વરસાદ પગલે પાકને નુકશાન થયું હોય અને સહાય મેળવવા ઇચ્છતા હોય તે ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અરજી આગામી તારીખ ૨૫ ઓકટોબરથી ૨૦ નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.

ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદ પગલે અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને  ૩૩ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂ.૧૩૦૦૦  સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (લ્ઝ્રય્જ્)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨ હેકટરની મર્યાદામાં હેકટરદીઠ રૂ.  ૬૮૦૦અપાશે અને બાકીની તફાવતની હેકટર દીઠ રૂ.  ૬૨૦૦મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીન ધારકતા આધારે એસડીઆરએફ(લ્ઝ્રય્જ્)ના ધોરણો મુજબ રૂ. ૫ હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂ. ૫ હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. જગતાત ખેડૂત ના હિતો ની રખેવાળી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કિસાનો હિત માં અનેક નિર્ણયો લીધા છે અને નાના સીમાંત ખેડૂતો ને સીધો ફાયદો થાય તેવા અનેક અસાધારણ નિર્ણયો લઈ ખેતી અને ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલ માં મૂકી છે તેના પગલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં ગુજરાત ભાજપ સરકાર ખૂબ ઝડપથી ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે તેને આવકારી રાજુભાઇ ધ્રુવે અભિનંદન પાઠવ્યા છે.

(11:43 am IST)