Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

એમ.ફીલ. પી.એચ.ડી. પ્રવેશ પ્રશ્ને એનએસયુઆઇની રજુઆત અનામત કવોટાનો ભંગ થતો હોવાની ફરીયાદ

રાજકોટઃ એસસી, એસટી અને ઓબીસી તેમજ પછાત વર્ગને યોગ્ય તક મળે તે હેતુથી અનામત દાખલ કરવામાં આવેલ  સૌરાષ્ટ્ર યુનિવસિૃટીમાં રોલ્ટર ક્રમાંક જળવાતો ન હોય આજે એનએસયુઆઇના વડાએ કુલપતિને ઉગ્ર રજુઆત કરીને આવેદન પત્ર પાઠવયું એનએસયુઆઇએ રોસ્ટર રજીસ્ટર મુજબ એમફીલ અને પીએચડીના એડમીશન કરવા માંગણી છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રજુઆત સમયે પ્રુમખ  નરેન્દ્રસિંહ સોલંકી, ભાવેશ વાઘેલા, નીલરાજ ખાચર, દેવ ગજ્જર, મંથન રોલા, પુષ્પરાજસિહ જાડેજા, રવી જીતીયા, દર્શ બગડા, ભવ્ય પટેલ, મયુરસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, રાજ વટવા, કર્મદીપસિંહ જાડેજા, રોહીત રાઠોડ, પરવેઝભાઇ સહીતના ઉપસ્થિત હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:25 pm IST)