Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિજયપ્લોટમાં રવેશમાંથી ગબડી પડતાં રાજેશભાઇ ઝરીયાનું મોત

મોડી રાતે બનાવઃ વહેલી સવારે હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: વિજય પ્લોટમાં રહેતાં લોધા પ્રોૈઢ રાત્રીના મકાનના રવેશમાંથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વિજય પ્લોટ શેરી નં. ૭ના ખુણે રહેતાં રાજેશભાઇ હરપાલભાઇ ઝરીયા (લોધા) (ઉ.વ.૫૭) રાત્રીના સાડા અગિયારેક વાગ્યે પોતાના ઘરના રવેશમાં ઉભા હતાં ત્યારે અચાનક ચક્કર આવતાં બેલેન્સ ગુમાવતાં પડી જતાં માથામાં ઇજા થઇ હતી.

તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાંશોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇ મજૂરી કરતાં હતાં અને બે બહેન તથા ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક ત્રણ પુત્રી અને બે પુત્ર છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:55 pm IST)