Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા શહીદ જવાનોને શ્રધ્ધાંજલી

તા. ૨૧ ઓકટોબર ૨૦૧૯ના રોજ શહીદ દિન નિમિતે ભારત દેશમાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ હેડ કવાર્ટર શહીદ સ્મારક પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ શહીદ થયેલ ભારત દેશના જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. તેમજ જીલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીએ શહીદ સ્મારક ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરેલ હતુ. તસ્વીરમાં રૂરલ એસ.પી. બલરામ મીણા શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા નજરે પડે છે.

(1:02 pm IST)