Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભગવતીપરામાં પગના દુઃખાવાથી કંટાળી જઇ સલિમભાઇ મોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૨: ભગવતીપરાના જયપ્રકાશનગર-૧૪માં રહેતાં રિક્ષાચાલક સલિમભાઇ ઇબ્રાહીમભાઇ મોડ (ઉ.૩૨)એ વહેલી સવારે ઘરના ફળીયામાં છાપરાની આડીમાં લુંગી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

કુલસુમબેન મોડ વહેલી સવારે જાગ્યા અને ફળીયામાં ગયા ત્યારે પુત્ર સલિમભાઇને લટકતો જોતાં દેકારો મચાવી મુકતાં બીજા પરિવારજનો જાગી ગયા હતાં. ૧૦૮ના સ્ટાફે સલિમભાઇને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ એન. જે. જાડેજા અને રાઇટર મિતેષભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર સલિમભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને રિક્ષા ચાલક હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અગાઉ પગનું ઓપરેશન કરાવ્યું હોઇ તેમાં ફરીથી તકલીફ ઉભી થતાં અને પાણી ભરાતું હોઇ દુઃખાવો સહન ન થતાં આ પગલું ભર્યાનું તપાસમાં ખુલ્યું હતું.

(11:33 am IST)