Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ત્રણ દિવસ પહેલા ઝેર પી લેનારા અમરાપરના લાલજી રાઠોડનું મોત

રાજકોટ તા. ૨૨: વિંછીયાના અમરાપુર ગામે રહેતાં લાલજીભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.૩૦) નામના કોળી યુવાને ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લેતાં વિંછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગઇકાલે દમ તોડી દીધો હતો.

યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી વિંછીયા પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

માણાવદરઃ ચીખલોટાના મુકતાબેન પરમાર દાઝયા

માણાવદર તાબેના ચીખલોટા ગામે રહેતાં મુકતાબેન લાખાભાઇ પરમાર (ઉ.૩૮) ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે ચુલા પર ચા બનાવતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(11:49 am IST)