Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ડો.જયેશ પરમારને અભિનંદન આપતા ઋષિવંશી સમાજ સેવા સંઘના આગેવાનો

રાજકોટઃ જાણીતા વૈદ્યરાજ ડો. જયેશ પરમાર ની ગુજરાત  આયુષના ડાયરેકટર તરીકે નિમણુંક થતાં સર્વશ્રી હેમરાજભાઇ પાડલીયા (સ્થાપક પ્રમુખશ્રી ઋષિવંશી સમાજ સેવા સંઘ અને આસ્થા સેવાયજ્ઞ સામાજીક સંકલન સેલના કન્વીનર પ્રદેશ ભાજપ), પુનીતભાઇ પાડલીયા, ધવલભાઇ પાડલીયા, નરેશભાઇ પાડલીયા, નંદુભાઇ પારેખ (કાર્યકારી પ્રમુખ ઋષિવંશી સમાજ સેવા સંઘ), જીલુભા ધાંધલ (પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ), અશોકભાઇ પારેખ , ભગવાનદાસ વિઠલપરા (સહમહામંત્રી ઋષિવંશી સમાજ સેવા સંઘ), દશરથભાઇ પારેખ સહિતના એ ડો. પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી.  ખ્યાતીપ્રાપ્તિ વૈદ્યરાજ જયેશ પરમાર ૨૦૦૩માં રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ કરણપરા ખાતે જીપીએસસી દ્વારા નિમણુંક પામ્યા બાદ નાડી નિદાન અને આયુર્વેદ પંચકર્મ સારવાર દ્વારા સચોટ પરિણામો આપ્યા છે. આ નિમણુંક પહેલા વિભાગીય નાયબ નિયામક તરીકે તેમણે સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાઓમાં સરકારશ્રી દ્વારા થતી કામગીરી ખુબ જ સુપેરે નીભાવી હતી.   કોરોનાકાળમાં ઘરગથ્થુ ઉપાયો દ્વારા રોગ પ્રતિકારક શકિત વધારી શકાય તે બાબતે લોકોને જાગૃત કરવા અનેક ઉપાયો આપવામાં આવ્યા હતા.  તસ્વીરમાં ડો. જયેશ પરમારને અભિનંદન પાઠવતા હેમરાજભાઇ પાડલીયા સહિતના આગેવાનો દર્શાય છે. 

(3:57 pm IST)