Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

નાલંદા તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

રાજકોટ તા. રરઃ ગો સંપ્રના સૌરાષ્ટ્રના સિંહણ બાબ્રરશ્રી ઇન્દૂબાઇ મહાસતીજી તીર્થધામમાં સોનલ સદાવ્રત ભવ્યાતી ભવ્ય સંપન્ન થયેલ છે. જેમાં પેલા સાર્ધમીક સ્વધર્મી બંધુઓને નવકારશી કરાવેલ હતી ત્યારબાદ ૮-૩૦ થી ૯-૩૦ સુધી વિતરણ કરવામાં આવેલ હતું. નાલંદા તીર્થધામમાં છેલ્લા ર૦ વર્ષથી સોનલ સદાવ્રત દિલાવર દાતાઓના સાથ સહકારથી ચાલી રહેલ છે. દર વીસ તારીખે સ્વધર્મીબંધુઓને દવાનું દાન અપાય છે. આજે સવારે જીવન જરૂરીયાતની રાશન કીટ બધાને તથા છાશ આપવામાં આવેલ હતી. રોજ  સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ સુધી વ્યાખ્યાન ઋણ સામયીક જાપ બધી જ ધર્મ આરાધના ચાલુ જ છે.

આ પ્રસંગે આદીનાથ ટ્રસ્ટી મંડળ, ચંદ્ર ભકત મંડળ, સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીજન મંડળ, જંકશન યુવક મંડળ સેવા ગ્રુપ સેવા બજાવી રહેલ છે. પૂ. મહાસતીજીના દર્શન વંદન વાણીનો લાભ લેવા વિનંતી. 

(3:50 pm IST)