Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ધર્મરક્ષક પરિષદ યોજીત ગણેશ મહોત્સવનું સમાપન

શહેરના ભકિતનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરીષદ દ્વારા પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જે રંગેચંગે સંપન્ન થયેલ. આ તકે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભકિતનગર પી.આઇ. જે. કે. ઝાલા, કૈલાશબેન ભંડેરી, અનીતાબેન ગોસ્વામી સહીતનાએ દર્શનનો લાભ લીધો હતો. ગણપતી વિસર્જનના દિવસે ગણપતિ મહારાજનું પૂજન-અર્ચન કરી રંગેચંગે સમાપન થયું હતું. ધર્મરક્ષક પરીષદના ગૌતમ ગોસ્વામી, વિજય ગોસ્વામીની આગેવાની હેઠળ મહોત્સવમાં સમિતિના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. 

(3:15 pm IST)