Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટ બિરાજતા ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રભાબાઇ મહાસતીજી કોરોનાથી સંક્રમીતઃ વોકહાર્ટ કોવીડ હોસ્‍પીટલમાં સારવાર શરૂ કરાઇ : અન્‍ય ત્રણ સાધ્‍વીજીનો રીપોર્ટ બાકી

રાજકોટઃ અત્રેના રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂજય પ્રભાબાઇ મહાસતીજીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે વોકહાર્ટ કોવીડ હોસ્‍પીટલમાં દાખલ કરાયા છે.

જયારે અન્‍ય ત્રણ પૂજ. સાધ્‍વીજીઓનો રીપોર્ટ આવતીકાલે આવશે. નોંધનીય છે કે મહાસતીજી કોરોના સંક્રમીત  થતા જૈન સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે.(

(8:52 am IST)