Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સિદ્ધિ વિનયાકધામમાં હસાયરો

 શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયકધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવમાં રોજ વિવિધ સમાજ, શૈક્ષણીક, સામાજીક, ધાર્મિક સંસ્થાના આગેવાનો મહાઆરતીનો લાભ લે છે તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત ગઇકાલે ગુણવંત ચુડાસમા તથા સાથી કલાકારોનો હસાયરો યોજવામાં આવેલ. શહેરીજનોએ મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)