Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વણકર સમાજની શિષ્યવૃતિ બંધ કરી છે તે ફરી ચાલુ કરો : રાહુલ ગુપ્તાને આવેદન

રવિદાસજી મહારાજની જગ્યા તોડી પડાઇ તે અંગે પણ વિરોધઃ સ્વયંમ સૈનિક દળ દ્વારા કલેકટરને રજુઆત

રાજકોટ,તા.૨૨:રાજકોટમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ર્ંદિલ્લી અને ગુજરાતમાં અનુ.જાતિ માં આવતા વણકર સમાજની શિષ્યવૃત્ત્િ। બંધ કર્યાને સખ્ત શબ્દોમાં સ્વયમ્ સૈનિક દળ એ વખોડી કાઢી હતી.

આ ઉપરાંત બહુજન નાયક ક્રાંતિકારી રવિદાસજી મહારાજ ની ૬૦૦ વર્ષ જૂની ઐતિહાસિક જગ્યા તુગલકાબાદ દિલ્હીમાં તોડી પાડવામાં આવી તો એ બાબતે એ જગ્યા નું પુનઃ નિર્માણ કરવામાં આવે અને ખાનગી શાળાઓમાં ૧ થી ૮માં અભ્યાસ કરતાં અનુ.જાતિ માં આવતા વણકર સમાજ ની શિષ્યવૃતિ ગુજરાત સરકારે બંધ કરાવેલ છે તે તાત્કાલિક ચાલુ કરવા બાબતે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પત્ર પાઠવી માંગણી કરાઇ હતી.

(3:32 pm IST)